સિંગર દિલજીત દોસાંઝની (Diljit Dosanjh) ‘દિલ-લુમિનેટી’ (Dil-luminati) ટૂર દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં (Jawaharlal Nehru Stadium) બે દિવસના કોન્સર્ટના આયોજનથી સ્ટેડિયમને ગંદુ અને ક્ષતિગ્રસ્ત હાલતમાં છોડી દેવાયું હતું. લગભગ 40,000 ચાહકો દરરોજ રાત્રે દિલજીતના કોન્સર્ટમાં હાજરી આપતા હતા, જ્યાં દરેક જગ્યાએ કચરાના ઢગલા અને તૂટેલા સાધનો હતા. રિપોર્ટ અનુસાર, સ્ટેડિયમ હવે એથ્લેટ્સ માટે 10 દિવસ માટે બંધ રહેશે.
This is how #JLNStadium track looks like after two days of #DiljitDosanjh concert. Garbage, bottles strewn all over the main track and this is one of country's showpiece athletics stadium. @htTweets first reported on how equipment were damaged a day before the concert. https://t.co/P5AmyCj56o pic.twitter.com/1NttzEjQZY
— Avishek Roy (@tweet2avishek) October 28, 2024
બાધા દોડની રમતના સાધનોને તોડીને એક ખૂણામાં મૂકવામાં આવ્યા છે. સ્ટેડિયમ તૂટેલી દારૂની બોટલો, પ્લાસ્ટિકનો કચરો, ખાદ્યપદાર્થો, પ્રવાહી અને અન્ય કચરોથી ભરેલું છે.
કેટલાક અહેવાલોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઘણા સાધનો, જે હવે તૂટેલા અથવા ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત છે, તે એથ્લેટ્સ દ્વારા તેમના પોતાના પૈસાથી ખરીદવામાં આવ્યા હતા. અધિકારીઓ હવે સ્ટેડિયમની સફાઈ અને આગામી ઈન્ડિયન સુપર લીગની રમત માટે સ્ટેડિયમની તૈયારીમાં વ્યસ્ત છે.