દિલ્હી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો સ્પષ્ટ થતાંની સાથે જ રાજ્યનું સચિવાલય સીલ કરી દેવામાં આવ્યું છે.
સમાન્ય વહીવટી વિભાગના સંયુક્ત સચિવ પ્રદીપ તયાલના હસ્તાક્ષરથી જારી કરવામાં આવેલા એક આદેશમાં જણાવવામાં આવ્યું છે કે, સુરક્ષા કારણોને ધ્યાનમાં લેતાં આદેશ આપવામાં આવે છે કે સચિવાલય પરિસરમાંથી સામાન્ય વહીવટ વિભાગની પૂર્વમંજૂરી વગર કોઈ પણ પ્રકારની ફાઈલો, દસ્તાવેજો, કોમ્પ્યુટર હાર્ડવેર બહાર લઈ જવામાં ન આવે.
General Administration Department, Government of Delhi issues a notice.
— ANI (@ANI) February 8, 2025
"To address security concerns and the safety of records, it is requested that no files/documents, Computer Hardware etc. may be taken outside Delhi Secretariat complex without permission from GAD. It is… pic.twitter.com/VZU4CU5xpt
આગળ જણાવવામાં આવ્યું છે કે, સચિવાલયમાં રેકર્ડ, ફાઈલો, દસ્તાવેજો, ઇલેક્ટ્રોનિક ફાઇલો વગેરે સુરક્ષિત રહે તે માટે જે-તે શાખાઓના ઇન્ચાર્જને જરૂરી નિર્દેશો આપી દેવામાં આવે.
આ આદેશ તમામ સચિવાલય કાર્યાલયો, કેમ્પ ઑફિસ તેમજ મંત્રીઓનાં કાર્યાલયો પર પણ લાગુ પડશે તેમ જણાવવામાં આવ્યું છે. સત્તાવાર રીતે આદેશને મંજૂરી મળી ગઈ છે તેવું આદેશ જણાવે છે.