મથુરા સ્થિત શ્રી કૃષ્ણ જન્મભૂમિ કેસના મુખ્ય વકીલ દિનેશ ફલાહારી મહારાજે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને (Letter to Donald Trump) પત્ર લખ્યો છે. ખાસ વાત એ છે કે તેઓએ આ પત્ર પોતાના લોહીથી લખ્યો છે. આ પત્રમાં તેમણે માંગ કરી છે કે પાકિસ્તાનને ‘આતંકવાદી દેશ’ (Pakistan- Terrorist State) જાહેર કરવામાં આવે.
પાકિસ્તાન આતંકવાદીઓનું કેન્દ્ર બનવા અને ત્યાં ઘણા આતંકવાદી કેમ્પો હોવા અંગે માહિતી આપતાં તેમણે આ પત્રમાં એ પણ યાદ અપાવ્યું છે કે કેવી રીતે અમેરિકાએ પાકિસ્તાનમાં જ ખતરનાક આતંકવાદી ઓસામા બિન લાદેનને મારી નાખ્યો હતો. આમાં તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા પાકિસ્તાનમાં કરવામાં આવેલી સર્જિકલ સ્ટ્રાઈકનો પણ ઉલ્લેખ કર્યો છે.
मथुरा के संत ने अमेरिकी राष्ट्रपति को लिखा खून से पत्र…
— Amar Ujala (@AmarUjalaNews) May 1, 2025
पूरी खबर पढ़ने के लिए इस लिंक पर क्लिक करें : https://t.co/tIPH15GbB1 #UP #AmarUjala pic.twitter.com/zSwaRkDkG1
દિનેશ ફલાહારી મહારાજ દલીલ કરે છે કે જો પાકિસ્તાનને ‘આતંકવાદી દેશ’ જાહેર કરવામાં આવે તો વિદેશોમાંથી આતંકવાદીઓને મળતું ભંડોળ બંધ થઈ જશે અને તેનાથી વિશ્વભરમાં આતંકવાદી ઘટનાઓમાં ઘટાડો થશે. તેમણે ટ્રમ્પ લો ને ટેગ કરીને પોતાના ‘X’ હેન્ડલ પર પત્ર પણ પોસ્ટ કર્યો. ફલાહારી બાબા ખોરાક ખાતા નથી, કે ચપ્પલ પહેરતા નથી. ૩ વર્ષ પહેલાં તેમણે પ્રતિજ્ઞા લીધી હતી કે જ્યારે મથુરામાં શ્રીકૃષ્ણ મંદિર બંધાશે ત્યારે જ તેઓ ભોજન કરશે અને ચરણ પાદુકા પહેરશે.