Wednesday, May 14, 2025
More

    25 વર્ષ બાદ જેલમાંથી મુક્ત થયા દારા સિંઘના સાથી, ગેરકાયદેસર ધર્માંતરણ અને ગૌહત્યાના વિરોધ બદલ ફસાવાયા હોવાનો દાવો: ગ્રેહામ સ્ટેઇન્સ હત્યા કેસમાં ઠેરવવામાં આવ્યા હતા દોષિત

    1999માં ઓસ્ટ્રેલિયન મિશનરી ગ્રેહામ સ્ટેઇન્સ (Graham Staines) અને તેમના બે સગીર પુત્રોની ક્રૂર હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા મહેન્દ્ર હેમ્બરમને (Mahendra Hembram) બુધવારે (16 એપ્રિલ, 2025) ઓડિશાની કેઓંઝર જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. 51 વર્ષીય હેમ્બ્રમને 25 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ ‘સારા વર્તન’ના આધારે મુક્ત કરવામાં આવ્યા હતા.

    ઉલ્લેખનીય છે કે હેમ્બ્રમને દારા સિંહ સાથે આ ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા. હેમ્બ્રમની 9 ડિસેમ્બર 1999ના રોજ ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે દારા સિંહને 31 જાન્યુઆરી 2000ના રોજ જંગલમાંથી પકડવામાં આવ્યા હતા. તેમની મુક્તિ પછી, હેમ્બ્રમે દાવો કર્યો હતો કે તેમને ગેરકાયદેસર ધર્માંતરણ અને ગૌહત્યાના વિરોધ માટે ફસાવવામાં આવ્યા હતા. નિર્દોષ હોવા છતાં તેને સજા ભોગવવી પડી.

    આ કેસના મુખ્ય આરોપી દારા સિંહ હાલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. તેમણે સુપ્રીમ કોર્ટમાં સમય પહેલા મુક્તિ માટે અપીલ કરી હતી, જેના પર સુપ્રીમ કોર્ટે 9 માર્ચે ઓડિશા સરકારને તેના પર નિર્ણય લેવા કહ્યું હતું. અધિકારીઓના મતે, દારા સિંહની મુક્તિ અંગેનો નિર્ણય આગામી થોડા અઠવાડિયામાં લેવામાં આવી શકે છે.