Monday, March 24, 2025
More

    ‘હવે નાગપુરમાં પરિસ્થિતિ સંપૂર્ણ શાંતિપૂર્ણ’- CM સીએમ ફડણવીસ: મુસ્લિમ ટોળા દ્વારા કરાયેલા હિંસા બાદ આખરે શહેરમાં હટાવાયો કર્ફ્યુ

    તાજેતરની ઈસ્લામિક હિંસા બાદ નાગપુરમાં (Nagpur Violence) કર્ફ્યુ (Curfew) હટાવ્યા બાદ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે ખાતરી આપી હતી કે શહેરમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે અને કર્ફ્યુની કોઈ જરૂર નથી.

    “પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ છે. ક્યાંય પણ તણાવ નથી અને બધા ધર્મના લોકો સુમેળમાં સાથે રહી રહ્યા છે. હવે કર્ફ્યુની કોઈ જરૂર નથી અને તેથી તેને ઉઠાવી લેવામાં આવ્યો છે,” મુખ્યમંત્રી ફડણવીસે પત્રકારોને જણાવ્યું.

    આ દરમિયાન, નાગપુર પોલીસે રવિવારે શહેરવ્યાપી કર્ફ્યુ હટાવ્યા પછી શાંતિ અને સ્થિરતા જાળવવા માટે સાવચેતીના પગલા તરીકે મહાલ બજાર વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી હતી.

    પોલીસ કમિશનર રવિન્દર સિંઘલે સોશિયલ મીડિયાના દુરુપયોગ સામે કડક ચેતવણી આપી હતી, લોકોને તાજેતરની નાગપુર હિંસા સંબંધિત કંઈપણ પોસ્ટ કરતા પહેલા ‘હજાર વાર’ વિચારવાની વિનંતી કરી હતી.

    ANI સાથે વાત કરતા સિંઘલે કહ્યું, “અહીં પરિસ્થિતિ સામાન્ય છે. હાલમાં કોઈ સમસ્યા નથી અને બધે જનજીવન સામાન્ય છે. અત્યાર સુધીમાં 13 FIR દાખલ કરવામાં આવી છે, 115થી વધુ લોકો કસ્ટડીમાં છે અને આગળની કાર્યવાહી ચાલુ છે.”