જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) વિદ્યાર્થી સંઘના (JNUSU) ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ શેહલા રશીદને (Shehla Rashid) મોટી રાહત મળી છે. દિલ્હીની એક કોર્ટે તેમની સામેનો રાજદ્રોહનો કેસ (sedition case) પાછો ખેંચવાની મંજૂરી આપી. આ નિર્ણય 27 ફેબ્રુઆરીએ આવ્યો. વાસ્તવમાં, દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરે (એલજી) પહેલા શેહલા રશીદ પર કેસ ચલાવવાની પરવાનગી આપી હતી, પરંતુ હવે સ્ક્રીનીંગ કમિટીની સલાહ પર તેને પાછી ખેંચી લીધી છે.
Delhi's Patiala House Court has accepted Delhi Police's application to withdraw the prosecution of former JNU student leader Shehla Rashid, in connection with 2019 sedition case.
— ANI (@ANI) March 1, 2025
(file pic) pic.twitter.com/hLDVhG2LpY
આ કેસ 2019નો છે, જ્યારે શેહલાએ કાશ્મીરમાં સેના પર અત્યાચારનો આરોપ લગાવતા ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે સુરક્ષા દળો ઘરોમાં ઘૂસી રહ્યા છે અને બાળકો અને યુવાનો પર ત્રાસ ગુજારી રહ્યા છે. આ ટ્વીટ્સ કલમ 370 હટાવ્યા પછી કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની સામે રાજદ્રોહ અને રમખાણો ભડકાવવાનો કેસ નોંધવામાં આવ્યો.
શેહલાએ સુપ્રીમ કોર્ટમાં કલમ 370 હટાવવાને ખોટું ગણાવીને અરજી પણ દાખલ કરી હતી, પરંતુ બાદમાં તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. જોકે, વર્ષ 2023માં શેહલાએ કેન્દ્ર અને એલજીની પ્રશંસા કરી હતી. તેમણે ટ્વીટ કર્યું હતું કે મોદી સરકારે કાશ્મીરમાં માનવાધિકારોમાં સુધારો કર્યો છે.