રવિવારે (12 જાન્યુઆરી) દેશભરમાં રાષ્ટ્રીય યુવા દિવસની (National Youth Day) ઉજવણી કરવામાં આવી રહી છે. તે અંતર્ગત વડાપ્રધાન મોદીએ (PM Modi) પણ ભારત મંડપમ ખાતે ‘વિકસિત ભારત યુવા નેતા સંવાદ’નું આયોજન કર્યું હતું. જેમાં દેશના હજારો યુવાનોએ ભાગ લીધો હતો. યુવાનોને સંબોધિત કરતાં PM મોદીએ સ્વામી વિવેકાનંદને પણ યાદ કર્યા હતા.
The strength of India's Yuva Shakti will make India a developed nation. pic.twitter.com/GoF0uLZK0g
— PMO India (@PMOIndia) January 12, 2025
PM મોદીએ સંમેલનને સંબોધિત કરતા કહ્યું કે, “આપણી સામે 25 વર્ષનો અમૃતકાળ છે અને મને પૂર્ણ વિશ્વાસ છે કે, ભારતની યુવાશક્તિ ‘વિકસિત ભારત’ના સ્વપ્નને જરૂર સાકાર કરશે.” તેમણે વધુમાં કહ્યું કે, “સ્વામી વિવેકાનંદજીને દેશના યુવાનો પર ખૂબ વિશ્વાસ હતો. સ્વામીજી કહેતા હતા કે, મારો વિશ્વાસ યુવાપેઢીમાં છે, નવી પેઢીમાં છે. જેવી રીતે સ્વામી વિવેકાનંદજીનો તમારા પર વિશ્વાસ હતો, તેવી જ રીતે મારો વિવેકાનંદજી પર વિશ્વાસ છે. તેમના દ્વારા કહેવાયેલી તમામ વાતો પર મને વિશ્વાસ છે.”
स्वामी विवेकानंद जी को देश के नौजवानों पर बहुत भरोसा था। स्वामी जी कहते थे कि मेरा विश्वास युवा पीढ़ी में है, नई पीढ़ी में है।
— BJP (@BJP4India) January 12, 2025
स्वामी जी कहते थे कि मेरे कार्यकर्ता नौजवान पीढ़ी से आएंगे और वो हर समस्या का समाधान निकालेंगे।
जैसे विवेकानंद जी का आप पर भरोसा था, मेरा विवेकानंद जी…
તેમણે વધુમાં કહ્યું કે, “મેં લાલ કિલ્લા પરથી એક લાખ યુવાનોને રાજકારણમાં લાવવાની વાત કરી હતી. પોતાના સૂચનોને લાગુ કરવા માટે રાજકારણ પણ ખૂબ શાનદાર માધ્યમ બની શકે છે. મને વિશ્વાસ છે કે, તમારામાંથી ઘણા યુવાનો પણ રાજકારણમાં ભાગીદારી માટે જરૂરથી આગળ આવશે.” આ ઉપરાંત તેમણે દેશની આર્થિક સ્થિતિ અને ‘વિકસિત ભારત’ના સ્વપ્નને લઈને અનેક વાતો કહી હતી.