પ્રધાનમંત્રી મોદી (PM Narendra Modi) વિષે એલ-ફેલ બોલનારા કોંગ્રેસ નેતા અને NSUI પ્રભારી કન્હૈયા કુમારની (Kanhaiya Kumar) મુશ્કેલીઓ વધી રહી છે. PM મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંગે વાંધાજનક ટિપ્પણી બદલ તેમની વિરુદ્ધ FIR નોંધાઈ ચૂકી છે ત્યારે હવે તેમના જ ગામની મહિલાઓ તેમને પાઠ ભણાવવાની વાતો કરી રહી છે.
એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં બિહારના જ ગામની મહિલાઓ કન્હૈયાને સાવરણીથી મારવાની વાત કરી રહી છે. મહિલા કહી રહી છે કે, “કન્હૈયાને અમે ઉખાડી ફેંકીશું, તેને જનતા ઉખાડી ફેંકશે.”
મહિલાએ કહ્યું હતું કે, “જે મોદી તરફ જે આંગળી ઉઠાવશે તેને જનતા ઉખાડી ફેંકશે. પીઠ પાછળ તો કોઈ પણ બોલી શકે છે, પણ માનો છોકરો હોય તો સામે આવીને બોલી બતાવે. મોદી વિશે એલફેલ બોલશે તો ચપ્પલથી, સાવરણીથી એનું સ્વાગત કરીશું.”
प्रधानमंत्री मोदी को अनाब-सनाब बकने वाले कन्हैया कुमार को उसके ही गांव की महिलाएं देखिए क्या बोल रही है
— Sumit Tiwari (@thesumittewari) April 13, 2025
"मोदी को उल्टा बोलेगा तो चप्पल और झाड़ू से मारूंगी"
"मोदी हमारे भगवान है उनकी पूजा करती हूं" pic.twitter.com/yaOGqYjlaJ
મહિલાએ કહ્યું હતું કે, “અમે મોદીજીને ભગવાનની જેમ માનીએ છીએ, ભગવાનના રૂપમાં પૂજીએ છીએ.” મહિલાએ કહ્યું હતું કે, “કન્હૈયા કુમાર પાકિસ્તાનનો હોય એમ લાગે છે એક વાર પણ આ ગામમાં જોવા આવ્યો નથી.”
નોંધનીય છે કે આ પહેલાં PM મોદીને ‘સંઘી’ અને આરએસએસને ‘આતંકવાદી’ ગણાવનાર કોંગ્રેસ નેતા અને NSUIના પ્રભારી કન્હૈયા કુમાર વિરુદ્ધ ભારતીય જનતા પાર્ટીના (BJP) મીડિયા પ્રભારી દાનિશ ઇકબાલે પટનાના કોતવાલી પોલીસ સ્ટેશનમાં તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.