Thursday, May 15, 2025
More

    ‘યુદ્ધ થયું તો ભારતની હાર નક્કી’: હવે છત્તીસગઢના કોંગ્રેસ નેતાનો ઊભરાયો પાકિસ્તાન પ્રેમ, લોકોએ ‘દેશદ્રોહી’ ગણાવતા ‘ફેસબુક એકાઉન્ટ હેક’ થયું હોવાની આપી સ્પષ્ટતા

    છત્તીસગઢ કોંગ્રેસના નેતા યુડી મિંજની એક સોશિયલ મીડિયા પોસ્ટ પર ભારે હોબાળો મચી ગયો છે. યુડી મિંજની એક ફેસબુક પોસ્ટના કારણે તેમણે ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. પોસ્ટમાં તેમણે પાકિસ્તાનના પ્રવક્તાનું કામ કરીને ભારતવિરોધી વાત લખી હતી.

    પહલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવપૂર્ણ પરિસ્થિતિ પર ટિપ્પણી કરતા તેમણે ફેસબુક પોસ્ટમાં લખ્યું કે, “જે લોકો આજે પાકિસ્તાન સામે નિર્ણાયક યુદ્ધની વાત કરી રહ્યા છે, તેઓ જાણી લે કે આ વખતે ભારતે પાકિસ્તાન સાથે ચીન સામે પણ લડવું પડશે અને આવી સ્થિતિમાં ભારતની હાર નિશ્ચિત છે.”

    તેમણે વધુમાં કહ્યું, “ચીને PoKના એક મહત્વપૂર્ણ ભાગમાં ઘણું રોકાણ કર્યું છે, જૂનો સિલ્ક રોડ ખોલ્યો છે. ચીને બલુચિસ્તાનમાં ગ્વાદર બંદર વિકસાવ્યું છે અને તેના લશ્કરી કર્મચારીઓ ત્યાં તૈનાત છે. પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ આ બંને સ્થળોએ કાર્યરત છે.”

    તેમણે કહ્યું કે, “હવે જો ભારત આ સ્થળો પર હુમલો કરશે તો ચીન પોતે આ યુદ્ધમાં પાકિસ્તાન સાથે ઉભું રહેશે. તેના પરિણામો વિશે વિચારો.” જોકે, કોંગ્રેસ નેતાએ દાવો કર્યો છે કે, તેમનું ફેસબુક એકાઉન્ટ હેક થયું હતું. જોકે, યુઝર્સે તેમને ભારે ટ્રોલ કર્યા છે. આ દરમિયાન તેમને દેશદ્રોહી અને જેહાદી પણ કહેવામાં આવ્યા છે.