કર્ણાટકના બીદરમાં પરીક્ષા આપવા ગયેલા વિદ્યાર્થીની જનોઈ કઢાવવાનાકેસમાં કોલેજના પ્રિન્સિપાલ ડૉ. ચંદ્રશેખર બિરાદર અને સ્ટાફ સભ્ય સતીશ પવારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કર્ણાટકના બીદર અને શિવમોગામાં પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓની પવિત્ર જનોઈને કાઢી નાખવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો.
કર્ણાટકમાં બિદર અને શિવમોગામાં 16 એપ્રિલ, 2025ના રોજ પરીક્ષા કેન્દ્ર પર સ્ક્રીનીંગ કમિટીએ એક બ્રાહ્મણ વિદ્યાર્થીને જનોઈ કાઢવા કહ્યું અને જ્યારે વિદ્યાર્થીએ ના પાડી ત્યારે તેને પાછો મોકલી દેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીએ કહ્યું હતું કે, તેની ગણિતની પરીક્ષાના દિવસે તેની સાથે આવું બન્યું હતું.
Bidar, Karnataka | Principal of Sai Spoorti PU College, Dr Chandra Shekar Biradar, and staff, Satish Pawar have now been suspended with immediate effect.
— ANI (@ANI) April 20, 2025
A student, Suchivrat Kulkarni, claims he was made to remove the sacred thread (Janeu) at the Karnataka CET exam centre on… pic.twitter.com/J5VRmtjg9a
પીડિતે કહ્યું હતું કે, જે દિવસે તેને જનોઈ ઉતારી કાઢવાનું કહેવામાં આવ્યું હતું, તેના પર પહેલાં તે કોઈપણ સમસ્યા વગર 2 પરીક્ષા આપી પણ ચૂક્યો હતો. આ બાબતે કર્ણાટક બ્રાહ્મણ મહાસભા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
મામલો વધુ વકરી ગયા બાદ કર્ણાટકના શિક્ષણ મંત્રી ડૉ. એમસી સુધાકરે આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે, આ મામલાની તપાસ કરવામાં આવશે અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવશે.