પાકિસ્તાન પછી હવે ચીને (China) ‘ઓપરેશન સિંદૂર’ (Operation Sindoor) પર જુઠ્ઠાણા (Fake News) ફેલાવ્યા છે. હકીકતમાં, ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સે (Global Times) તેના અહેવાલમાં દર્શાવ્યું છે કે પાકિસ્તાને ભારતીય સેના સામે બદલો લેતા 3 ભારતીય વિમાનોને તોડી પાડ્યા હતા.
ગ્લોબલ ટાઈમ્સનો આ અહેવાલ સંપૂર્ણપણે ખોટો છે. ચીનમાં ભારતીય દૂતાવાસે જ આ વાતનો ઇનકાર કર્યો છે. તેમણે ચીની મીડિયાને સ્પષ્ટપણે કહ્યું છે કે પાયાવિહોણા દાવા કરતા પહેલા હકીકતો તપાસો.
(1/n) Dear @globaltimesnews , we would recommend you verify your facts and cross-examine your sources before pushing out this kind of dis-information. https://t.co/xMvN6hmrhe
— India in China (@EOIBeijing) May 7, 2025
ભારતીય દૂતાવાસે તેની પોસ્ટમાં એમ પણ લખ્યું છે કે, “ગ્લોબલ ટાઇમ્સ, અમે તમને સલાહ આપીએ છીએ કે ખોટા સમાચાર ફેલાવતા પહેલા તથ્યોની ચકાસણી કરો અને તમારા સ્ત્રોતોની ક્રોસ ચેક કરો.”
પોતાના નિવેદનમાં તેમણે એમ પણ કહ્યું કે ઘણા પાકિસ્તાની હેન્ડલ લોકોમાં ઓપરેશન સિંદૂર વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને જ્યારે મીડિયાકર્મીઓ પણ સ્ત્રોતોની ચકાસણી કર્યા વિના આવું કરે છે, ત્યારે તે તેમની પત્રકારત્વની નૈતિકતા પર પ્રશ્નો ઉભા કરે છે.