ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય સૈન્ય કાર્યવાહી પૂરતો જ છે. સિંધુ જળ સંધિ સ્થગિત કરવા સહિતના નિર્ણયો યથાવત રહેશે.
There is no pre or post-condition of the ceasefire. The call was initiated from Pakistan. The Indus Water Treaty to remain in abeyance: MEA sources pic.twitter.com/JxK1yPdTX7
— ANI (@ANI) May 10, 2025
વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે, યુદ્ધવિરામને લઈને કોઈ શરતો નક્કી કરવામાં આવી નથી. ઉપરાંત એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે આ કૉલ પાકિસ્તાન તરફથી આવ્યો હતો.
વિદેશ મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો ભારત સરકારનો નિર્ણય યથાવત જ રહેશે, તેમાં કોઈ ફેરફાર નથી.