Friday, May 16, 2025
More

    ‘યુદ્ધવિરામ કોઈ શરત વિના થયું, પાકિસ્તાનના કૉલ પર નિર્ણય’: વિદેશ મંત્રાલય, સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો નિર્ણય યથાવત રહેશે તેવી સ્પષ્ટતા

    ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ બાદ વિદેશ મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય સૈન્ય કાર્યવાહી પૂરતો જ છે. સિંધુ જળ સંધિ સ્થગિત કરવા સહિતના નિર્ણયો યથાવત રહેશે. 

    વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું કે, યુદ્ધવિરામને લઈને કોઈ શરતો નક્કી કરવામાં આવી નથી. ઉપરાંત એ પણ સ્પષ્ટતા કરવામાં આવી કે આ કૉલ પાકિસ્તાન તરફથી આવ્યો હતો. 

    વિદેશ મંત્રાલયે એ પણ સ્પષ્ટ કર્યું છે કે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાનો ભારત સરકારનો નિર્ણય યથાવત જ રહેશે, તેમાં કોઈ ફેરફાર નથી.