લગભગ 500 વર્ષોના અથાગ પ્રયત્ન બાદ જાન્યુઆરી 2024માં ભગવાન શ્રીરામલલા તેમની જન્મભૂમિ (Shree Ram Janmabhoomi Tirthkshetra) અયોધ્યા સ્થિત મંદિરમાં (Ayodhya Temple) બિરાજમાન થયા. આ મંદિર હજી નિર્માણાધીન છે. પરંતુ આ મંદિરમાં શ્રીરામ અને તેમના મંદિર માટે લડવામાં આવેલી ચળવળનો ઈતિહાસ લખવામાં આવ્યો છે.
ન્યુઝ એજન્સી ANIના અહેવાલ અનુસાર 6 એપ્રિલ રામનવમી નિમિત્તે આ તકતીઓ સ્થાપિત કરવામાં આવી હતી. સામે આવેલ એક વિડીયોમાં પિત્તળની તકતીઓ પર કુલ 5 કોલમમાં આ ઈતિહાસ લખાયેલ જોઈ શકાય છે. જેમાં શરૂઆતની કોલમમાં ભગવાન શ્રીરામલલાના જન્મનો ઉલ્લેખ છે તથા તેમના અવતાર અંગેની પ્રાથમિક માહિતી છે.
#WATCH | Uttar Pradesh | Brass plates carrying the history of the Ram Janmbhoomi movement have been installed in Ram Janmbhoomi Temple, Ayodhya pic.twitter.com/xKWN83pnrK
— ANI (@ANI) April 11, 2025
ત્યારપછી મહારાજા વિક્રમાદિત્યથી લઈને મુઘલ સમય અને બ્રિટીશ રાજ દરમિયાનની મંદિરની પરિસ્થિતિનો ઉલ્લેખ જોવા મળે છે. આ ઉપરાંત દેશના વિવિધ સમુદાયના લોકોએ શ્રીરામલલાની જન્મભૂમિ માટે લડેલી લડત અંગે પણ માહિતી છે.
આ સિવાય અદાલતમાં અયોધ્યા મંદિર માટે ચાલેલ લડતની પણ તારીખ સાથે વિગતવાર માહિતી જોઈ શકાય છે. 1992માં થયેલી કારસેવાનો ઉલ્લેખ પણ આ લેખમાં જોવા મળે છે. તથા 2019માં સુપ્રીમ કોર્ટે રામ જન્મભૂમિના સમર્થનમાં આપેલ ઐતિહાસિક ચૂકાદા અંગેની માહિતી છે.