બ્રહ્માકુમારીના (Brahma Kumaris) મુખ્ય સંચાલક રજસયોગિની દાદી રતનમોહિનીનું (Rajas Yogini Dadi Ratanmohini) અવસાન થયું હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, સોમવારે (7 એપ્રિલ) મોડી રાત્રે તેમનું નિધન થયું હતું. તેમણે 101 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા છે. તેઓ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા અને અમદાવાદની એક હૉસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
તેમનો પાર્થિવ દેહ મંગળવારે (8 એપ્રિલ) સવારે રાજસ્થાનના આબુ રોડ સ્થિત બ્રહ્માકુમારીઝના મુખ્યાલય શાંતિવનમાં રાખવામાં આવશે. જ્યાં તેમના અંતિમ દર્શન થઈ શકશે. બ્રહ્માકુમારીઝના આધિકારિક સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કરીને આ અંગેની પુષ્ટિ પણ કરવામાં આવી છે.
Our most respected, loving mother-like Rajyogini @dadiratanmohini Ji has gently ascended to the subtle realm at the age of 101 years after a life of tireless spiritual service.
— Brahma Kumaris (@BrahmaKumaris) April 8, 2025
[25 March 1925 – 8 April 2025]
Her divine presence and pure vibrations will continue to illuminate… pic.twitter.com/C7psxuPPKP
નોંધનીય છે કે, આધ્યાત્મિક જગતમાં ખૂબ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને સમાજને જ્ઞાન તરફ વાળવામાં પ્રયત્નશીલ બ્રહ્માકુમારીઝ સંસ્થા એક આધ્યાત્મિક આંદોલન તરીકે કામ કરે છે. રતનમોહિનીએ 13 વર્ષની ઉંમરે આ સંસ્થા સાથે જોડાઈને તેની સંસ્થાની સ્થાપના તરીકે મહત્વનો ફાળો આપ્યો હતો.