ભાજપના ધારાસભ્ય અને દિલ્હી વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર મોહન સિંઘ બિષ્ટે (Mohan Singh Bisht) સ્થાનિક મતદારોની લાગણીઓને ટાંકીને મુસ્તફાબાદ (Mustafabad) વિધાનસભા ક્ષેત્રનું નામ બદલીને શિવ વિહાર (Shiv Vihar) કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ દરખાસ્ત આવતીકાલના (શનિવાર, 29 માર્ચ) વિધાનસભાના કાર્યસૂચિમાં (LOB) સૂચિબદ્ધ છે.
જોકે, આ દરખાસ્ત એક ખાનગી સભ્યનો ઠરાવ છે, સત્તાવાર સરકારી પહેલ નહીં. વધુમાં, વિધાનસભા મતવિસ્તારનું નામ બદલવાની સત્તા રાજ્ય સરકાર પાસે નથી, પરંતુ ફક્ત ભારતના ચૂંટણી પંચ પાસે છે.
#WATCH | Delhi | BJP MLA from Mustafabad, Mohan Singh Bisht, says, "I have given a proposal to change the name of Mustafabad Assembly constituency. Between 1998 and 2008, when I was the MLA, the constituency was known as Karawal Nagar. Mustafabad is not named after any religious… pic.twitter.com/jxdLNGDD8N
— ANI (@ANI) March 28, 2025
દિલ્હી ભાજપના વરિષ્ઠ નેતા અને મુસ્તફાબાદના નવા ચૂંટાયેલા ધારાસભ્ય બિષ્ટે અગાઉ કહ્યું હતું કે તેઓ પદના શપથ લીધા પછી તરત જ આ મતવિસ્તારનું નામ બદલીને ‘શિવ પુરી’ અથવા ‘શિવ વિહાર’ કરશે.
સમાચાર એજન્સી ANI સાથે વાત કરતાં તેમણે કહ્યું, “હું આ વિસ્તારનું નામ મુસ્તફાબાદથી બદલીને શિવ પુરી અથવા શિવ વિહાર કરીશ. મેં આ વાત પહેલા પણ કહી છે. મને સમજાતું નથી કે રાજકીય પક્ષો મુસ્તફાબાદ નામ જાળવી રાખવા પર કેમ અડગ છે. જે વિસ્તારમાં મુખ્યત્વે હિંદુઓ વસે છે તેનું નામ શિવ પુરી અથવા શિવ વિહાર કેમ ન રાખી શકાય? લોકો ‘મુસ્તફા’ નામથી નારાજ છે અને તે બદલવું જોઈએ. હું ખાતરી કરીશ કે આવું થાય.”