Wednesday, May 14, 2025
More

    LeTનો ટોચનો કમાન્ડર અલ્તાફ લલ્લી મર્યો ભૂંડનું મોત, બાંદીપોરા એન્કાઉન્ટરમાં ભારતીય સેનાએ આતંકીને પહોંચાડ્યો 72 હૂરો પાસે: પહલગામ હુમલા બાદ ચાલી રહ્યું સર્ચ ઓપરેશન

    શુક્રવારે જમ્મુ-કાશ્મીરના બાંદીપોરામાં થયેલા એન્કાઉન્ટરમાં (Bandipora Encounter) એક આતંકવાદી ઠાર મરાયો હતો અને બે સુરક્ષા જવાનો ઘાયલ થયા હતા. ઇન્ડિયા ટુડેના અહેવાલ મુજબ, માર્યા ગયેલા આતંકવાદીનું નામ અલ્તાફ લલ્લી (Altaf Lalli) હતું, જે લશ્કર-એ-તૈયબાનો (LeT) ટોચનો કમાન્ડર હતો.

    આ કાર્યવાહી એવા સમયે હાથ ધરવામાં આવી રહી છે જ્યારે સુરક્ષા દળો 22 એપ્રિલના રોજ પહેલગામ મેદાનોમાં 26 નાગરિકો, જેમાં મોટાભાગે હિંદુ પ્રવાસીઓનો સમાવેશ થાય છે, તેમની હત્યામાં સંડોવાયેલા પાકિસ્તાની અને સ્થાનિક આતંકવાદીઓને પકડવા માટે પ્રયાસો વધારી રહ્યા છે.

    શુક્રવારે આતંકવાદીઓની હલચલ અંગેની ચોક્કસ ગુપ્ત માહિતીના આધારે, ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસે બાંદીપોરામાં સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આતંકવાદીઓને ત્યાં ઘેરવામાં આવ્યા હતા, ત્યારબાદ ભીષણ ગોળીબાર થયો હતો.

    અગાઉ, સૂત્રોએ જણાવ્યું હતું કે સુરક્ષા દળો દ્વારા પીછો કરવામાં આવી રહેલા આતંકવાદીઓમાંથી એક પ્રારંભિક ગોળીબારમાં ઘાયલ થયો હતો. આ જ એન્કાઉન્ટરમાં બે પોલીસકર્મીઓ પણ ઘાયલ થયા હતા – બંને એક વરિષ્ઠ અધિકારીની વ્યક્તિગત સુરક્ષા ટીમનો ભાગ હતા.