બાગેશ્વર ધામ સરકાર મહંત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ (Dhirendra Krishna Shashtri) અગત્યનું નિવેદન આપ્યું છે. તેમણે પ્રયાગરાજ મહાકુંભમાં (Mahakumbh) બિનહિંદુઓને પ્રવેશ ન આપવાની માંગનું સમર્થન કર્યું છે.
તેમણે કહ્યું કે, જો તેમને રામથી કોઈ કામ ન હોય તો રામના કામથી શું કામ હોય? એટલે બિનહિંદુઓનો મહાકુંભમાં પ્રવેશ વર્જિત કરી દેવો જોઈએ.
તેમણે વાતચીતમાં કહ્યું કે, “જેમને સનાતન સંસ્કૃતિનું જ્ઞાન હોય, હિંદુ ધર્મ વિશે જ્ઞાન હોય, દેવી-દેવતાઓ વિશે જાણતા હોય, પૂજા-પદ્ધતિ વિશે જાણકારી હોય, પૂજાની સામગ્રીનું કેટલું સન્માન કરાય તેની ખબર હોય તેમને જ આ કામ આપવામાં આવે એ જ ઉત્તમ છે.
તેમણે કહ્યું કે, ત્યાં ત્રિવેણી સંગમ છે, મહાકુંભ છે, સંતોના દર્શન છે, કથા છે. તેમને (બિનહિંદુઓને) હિંદુત્વ કે સનાતન સાથે કશું લાગતું-વળગતું નથી. રામ સાથે કશું લાગતું-વળગતું નથી. રામથી જ કોઈ કામ નથી તો રામના કામથી પણ શું કામ હોય શકે?
ઉલ્લેખનીય છે કે મહાકુંભ 2025 પ્રયાગરાજમાં યોજાશે, જે માટે ઉત્તર પ્રદેશ સરકારે તૈયારીઓ આરંભી દીધી છે.