Sunday, May 18, 2025
More

    કેદારનાથ ધામ પહોંચી બાબા કેદારની પંચમુખી ડોલી: આવતીકાલથી ખુલી રહ્યા છે ભક્તો માટે મંદિરના દ્વાર

    કરોડો હિંદુઓની આસ્થાના પ્રતીક ભગવાન કેદારનાથની પંચમુખી ચાલવિગ્રહ ડોલી ગુરુવારે (1 મે 2025) કેદારનાથ ધામ (Kedarnath Dham) પહોંચી છે. બુધવારે, બાબા કેદારનાથની પાલખી ફાટાથી રવાના થઈ અને રાત્રિ રોકાણ માટે ત્રીજા મુકામ, ગૌરીકુંડ પહોંચી હતી અને ત્યાંથી આજે પોતાના મૂળ મંદિરે પરત ફરી છે.

    28 એપ્રિલના રોજ, કેદારનાથ બાબાની જંગમ મૂર્તિ તેમના શિયાળુ સ્થાન, ઓમકારેશ્વર મંદિર, ઉખીમઠથી કેદારનાથ જવા રવાના થઈ હતી. આ દરમિયાન ગુપ્તકાશીના કાશી વિશ્વનાથ મંદિરમાં પહેલા રોકાણ માટે અને બીજા રોકાણ માટે, બાબા કેદારની પાલખી ફાટા પહોંચી હતી.

    2 મેના રોજ, કેદારનાથના દરવાજા તમામ ભક્તો માટે વૈદિક મંત્રોચ્ચાર અને ધાર્મિક વિધિઓ સાથે ખોલવામાં આવશે. ત્યારબાદ, ઉનાળાની ઋતુમાં છ મહિના સુધી અહીં બાબા કેદારની દૈનિક પૂજા કરવામાં આવશે.