લગભગ 500 વર્ષોના સંઘર્ષ બાદ આખરે 2024માં અયોધ્યામાં રામમંદિર (Ayodhya Ram Mandir) બન્યું અને તેમાં પહેલી દિવાળી ઉજવાઈ, જે યાદગાર બની ગઈ હતી. હવે આજે એ જ અયોધ્યામાં ઉજવાઈ રહી છે દેવઉઠી એકાદશી (Dev Uthani Ekadashi).
#UttarPradesh: On the occasion of Dev Uthani Ekadashi, people in Ayodhya take a holy dip and offer prayers at the Saryu Ghat pic.twitter.com/IqHwkFVZUD
— DD News (@DDNewslive) November 12, 2024
આ દિવસે અયોધ્યાની સરયૂ નદીમાં સ્નાનનો અનોખો મહિમા છે. રામમંદિરની સ્થાપના બાદ આ પહેલી દેવઉઠી એકાદશી હોવાથી લાખોની સંખ્યામાં ભક્તો આજે વહેલી સવારથી સરયૂ ઘાટ (Sarayu Ghat) પર પહોંચવા માંડ્યા છે. પ્રસાશને આ માટે યોગ્ય તૈયારીઓ પણ કરી રાખી છે.
હિંદુ માન્યતાઓ અનુસાર દેવઉઠી એકાદશીના દિવસે જ ભગવાન વિષ્ણુ 4 મહિનાઓની નિંદ્રામાંથી ઉઠે છે. જેથી આ જ દિવસથી લગ્ન, મુંડન, સગાઈ જેવા માંગલિક કાર્યક્રમો કરવાની અનુમતિ મળે છે.
આ દિવસે વિશેષરૂપે ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરાય છે.