Tuesday, March 18, 2025
More

    અરવિંદ કેજરીવાલ પર પ્રવાહી ફેંકવાનો પ્રયાસ: ભાજપ-AAPએ એકબીજા પર લગાવ્યા આરોપ, બસ માર્શલની અટકાયત

    દિલ્હીમાં શનિવારે (30 નવેમ્બર) એક વ્યક્તિ દ્વારા AAP પ્રમુખ અરવિંદ કેજરીવાલ પર પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ હવે ભાજપ-AAP એકબીજા પર આરોપો લગાવી રહ્યા છે. AAPએ દાવો કર્યો છે કે, આ હુમલો ભાજપના ઇશારે કરવામાં આવ્યો હતો. જ્યારે ભાજપ નેતાઓએ તેને કેજરીવાલનું નાટક ગણાવી દીધું છે.

    આ સાથે જ અરવિંદ કેજરીવાલ પર પ્રવાહી ફેંકવાનો પ્રયાસ કરનાર વ્યક્તિને AAP સમર્થકોએ ઘટનાસ્થળે જ માર માર્યો હતો. જે બાદ આરોપીને દિલ્હી પોલીસે કસ્ટડીમાં લીધો હતો. તે વ્યક્તિ ઓળખ અશોક ઝા તરીકે થઈ છે, જે ખાનપુર ડેપોમઆ બસ માર્શલ તરીકે કામ કરે છે. આ ઘટના પાછળનો હેતુ જાણવા માટે હાલ પોલીસ તપાસ કરી રહી છે.