શુક્રવારે (23 મે, 2025) કેટલાક અજાણ્યા કટ્ટરપંથીઓએ પશ્ચિમ બંગાળમાં પરગણા જિલ્લાના હલિસહર શહેરમાં એક હિંદુ મંદિર પર હુમલો કર્યો અને ગર્ભગૃહમાં રાખેલા શિવલિંગને તોડવાનો પણ પ્રયાસ કર્યો. આ દરમિયાન કટ્ટરપંથીઓએ પૂજા માટે રાખવામાં આવેલી વસ્તુઓનો પણ નાશ કર્યો હોવાનું સામે આવ્યું છે.
રિપોર્ટ અનુસાર, સ્થાનિક લોકોનું કહેવું છે કે, હુમલાખોરોએ ભારે વસ્તુ વડે શિવલિંગને તોડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ સંપૂર્ણપણે શિવલિંગને તોડી શક્યા નહીં. ઘટનાનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
This is the video of the temple located at Baidyapara Ghat in Halisahar Police Station under @bkpcitypolice.
— Arjun Singh (@ArjunsinghWB) May 24, 2025
The temple was vandalised last night.
Though the area is surrounded by the CCTV cameras but no culprit has been arrested yet.
One can easily understand the law and order… pic.twitter.com/HZIu5Pr90C
નેતા અર્જુન સિંઘે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને લખ્યું છે કે, “આ વિસ્તાર સીસીટીવી કેમેરાથી ઘેરાયેલો છે, પરંતુ હજુ સુધી કોઈ ગુનેગારની ધરપકડ કરવામાં આવી નથી. પશ્ચિમ બંગાળમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સરળતાથી સમજી શકાય છે.”