પહલગામ હુમલા બાદ આ મામલે વિવાદાસ્પદ નિવેદનો આપનારા એક ધારાસભ્યની આસામ પોલીસે ધરપકડ કરી લીધી છે. AIUDF પાર્ટીના ધારાસભ્ય અમીનુલ ઇસ્લામે પહલગામ આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનનો બચાવ કરીને ઘટનાને સરકારનું કાવતરું ગણાવી હતી.
અમીનુલે તાજેતરમાં એક નિવેદન આપતાં કહ્યું હતું કે,એ પુલવામા આતંકવાદી હુમલો નરેન્દ્ર મોદી અને અમિત શાહના કાવતરાનો એક ભાગ હતો તેમ પહલગામ હુમલા પાછળ પણ તેઓ જ છે.
On the basis of a misleading & instigating statement by Dhing MLA, Sh Aminul Islam in public, which went viral & had potential to create an adverse situation, NagaonPS Case 347/25 was registered for offences u/s 152/196/197(1)/113(3)/352/353 BNS. He has been arrested accordingly. pic.twitter.com/ytMHv9D5AJ
— Assam Police (@assampolice) April 24, 2025
એટલું જ નહીં તેમણે હિંદુ પ્રવાસીઓને ધર્મ પૂછીને ગોળી મારનારા આતંકવાદીઓનો પણ બચાવ કર્યો અને કહ્યું કે એવું કશું જ ન હતું અને અંધારાનો લાભ લઈને આડેધડ ગોળીઓ વરસાવી હતી. જ્યારે હકીકત એ છે કે હુમલો બપોરના 2:45 વાગ્યે ધોળા દહાડે થયો હતો. ઉપરાંત અનેક મૃતકોના પરિજનોએ પુષ્ટિ કરી છે કે તેમના સ્વજનોને ધર્મ પૂછીને મારવામાં આવ્યા હતા.
આ નિવેદન બાદ આસામ પોલીસે અમીનુલ ઇસ્લામ સામે એક ગુનો દાખલ કર્યો હતો અને બીજા દિવસે ધરપકડ પણ કરી લીધી. હવે તેમની પૂછપરછ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.