જાણીતા ગાયક એ. આર રહેમાન અને પત્નીએ છૂટાં થવાની ઘોષણા કરી છે. નિકાહનાં 29 વર્ષ બાદ બંને છૂટાં પડી રહ્યાં છે. સોશિયલ મીડિયાના માધ્યમથી આ બાબતની જાણકારી આપવામાં આવી હતી.
પહેલાં સાયરાનાં વકીલે એક નિવેદન બહાર પાડીને કહ્યું કે, “બંનેના સંબંધોમાં એક ભાવનાત્મક તણાવ સર્જાયા બાદ આ નિર્ણય લીધો છે. એકબીજા પ્રત્યે પ્રેમ હોવા છતાં અમુક એવી કઠણાઈઓ અને પરિસ્થિતિ સર્જાઈ, જેનાથી અંતર વધતું ગયું.”
“We had hoped to reach the grand thirty, but all things, it seems, carry an unseen end. Even the throne of God might tremble at the weight of broken hearts. Yet, in this shattering, we seek meaning, though the pieces may not find their place again. To our friends, thank you for…
— A.R.Rahman (@arrahman) November 19, 2024
સાથે એઆર રહેમાને પણ X પર એક પોસ્ટ કરી છે. તેઓ લખે છે કે, “સાથે રહેવાનાં ત્રીસ વર્ષ પૂર્ણ કરીશું એવી આશા હતી, પણ મને લાગે છે કે દરેક બાબતનો એક અંત હોય છે.” આગળ તેમણે મિત્રોને સંબોધીને લખ્યું કે, તમારા પ્રેમ બદલ અને જીવનના એક નાજુક અધ્યાયમાંથી પસાર થઈ રહ્યા છીએ ત્યારે અમારી પ્રાઈવસીનું સન્માન કરવા બદલ આભાર.”
જોકે પ્રાઇવસી જાળવવાની વાત કરતા એઆર રહેમાને પોતાની પોસ્ટમાં ‘એઆરસાયરાબ્રેકઅપ’ હૅશટેગ પણ વાપર્યું છે. લોકો કહી રહ્યા છે કે એક તરફ તેઓ પોતે જ સમાચાર વાયરલ થાય એવાં કામ કરે છે ને બીજી તરફ કહે છે કે, લોકોએ પ્રાઇવસીનું સન્માન કરવું જોઈએ.