પૂર્વી મધ્ય પ્રદેશના ઉમરિયા (Umaria) જિલ્લામાં શનિવારે સવારે જંગલી હાથીઓના (wild elephants) ટોળાએ ગ્રામજનોને દોડાવી દોડાવીને માર્યા હતા. જેમાં બે લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.
હાથીઓના નાસભાગની બે અલગ-અલગ ઘટનાઓ હતી, એક બાંધવગઢ ટાઈગર રિઝર્વના (BTR) બફર ઝોનમાં, જ્યારે બીજી BTR (Bandhavgarh Tiger Reserve) સીમાની બહાર નજીકના ગામમાં બની હતી.
4 elephants dead n 7 critically ill at Bhandavgarh TR. @rameshpandeyifs @moefcc @minforestmp @BandhavgarhTig2 @byadavbjp https://t.co/4JOhEGZAFu pic.twitter.com/0f59s92iGD
— SAGE- Stripes And Green Earth Foundation (@SageEarth) October 29, 2024
મૃતકોની ઓળખ 62 વર્ષીય રામ રતન યાદવ અને 35 વર્ષીય ભૈરવ કોલ તરીકે થઈ છે. અન્ય એક ગ્રામીણ માલુ સાહુ ડાંગરની કાપણી કરતી વખતે એક ઘટનામાં ઘાયલ થયો હતો.
બીટીઆરના સાલખાણીયા જંગલોમાં એક નર, નવ માદા અને બે ગર્ભવતી સહિત 10 જંગલી હાથીઓ મૃત હાલતમાં મળી આવ્યાના એક દિવસ બાદ આ ઘટના બની હતી. હવે ટોળામાં માત્ર ત્રણ હાથીઓ જ બચ્યા છે – એક પુખ્ત અને બે યુવાન હાથી – વન અધિકારીઓને શંકા છે કે આ ઘટનાઓમાં સામેલ હાથીઓ મૃત જૂથના બાકી રહેલા સભ્યો છે.