ભારત-પાકિસ્તાન સંઘર્ષ વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને પોતાના ઇમરજન્સી પાવરનો ઉપયોગ કરવાની સત્તાનો ઉપયોગ કરવાના નિર્દેશ આપ્યા છે. કેન્દ્ર સરકારે રાજ્યોને નાગરિક સુરક્ષા અધિનિયમ 1668 હેઠળ ઇમરજન્સી [યાયાવરનો ઉપયોગ કરવાનું કહ્યું છે. જે હેઠળ અધિકારીઓને ઝડપી નિર્ણય લેવામાં પણ મદદ મળી શકે છે.
ગૃહ મંત્રાલયે આખા દેશના મુખ્ય સચિવો અને પ્રશાસકોને પત્ર લખીને નાગરિક સુરક્ષા નિયમ 1968ની કલમ 11ને સક્રિય કરવાનું કહ્યું છે. આ કલમ રાજ્યોને ઘણા બધા નિર્ણયો લેવાની સત્તા આપે છે. જેમાં લોકો અને સંપત્તિની રક્ષા માટે જરૂરી તમામ પગલાં ભરવા, કટોકટીની સ્થિતિમાં વીજળી, પાણી, હૉસ્પિટલ જેવી જરૂરી સેવાઓ સુચારું રીતે ચાલે તે સુનિશ્ચિત કરવું.
આ ઉપરાંત નિયમિત લાલફીતાશાહીથી બચવું અને નાગરિક સુરક્ષા માટે જરૂરી ઉપકરણો કે સેવાનો સીધા ખરીદવી, કોઈપણ લાંબી મજૂરી કે રાહ જોયા વગર. સરળ શબ્દોમાં કહીએ તો કોઈપણ પ્રકારના જોખમની સ્થિતિમાં રાજ્ય તાત્કાલિક કાર્યવાહી માટે તૈયાર રહેવા જોઈએ.