અમદાવાદમાં રથયાત્રાના રૂટ પર પોલીસનું રિહર્સલ, આ વખતે 20 હજાર જવાનો સુરક્ષામાં રહેશે તૈનાત….. #Ahmedabad #GujaratPolice #Rathyatra #Rehearsal #Rathyatra2025 #ZEE24Kalak #Gujarat pic.twitter.com/ulnNXjikl3
— Zee 24 Kalak (@Zee24Kalak) June 24, 2025
ઉલ્લખનીય છે કે, 27 જૂને યોજાનાર આ ભવ્ય રથયાત્રામાં 101 ટ્રક, 18 હાથી, 30 અખાડા અને 30 જેટલી ભજન મંડળીઓ પણ સામેલ થશે. આ ઉપરાંત દેશ-વિદેશમાંથી લાખો ભક્તો ભગવાનની રથયાત્રામાં જોડાશે. જેથી પોલીસ પ્રશાસને સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક કરી દીધી છે. આ વખતે પોલીસે સુરક્ષાને ધ્યાને રાખીને 3200થી વધુ સીસીટીવી કેમેરા રથયાત્રાના સર્વેલન્સ માટે રાખ્યા છે. આ કેમેરાની વિશેષતા એ છે કે તેની સાથે 3200 જેટલા હિસ્ટ્રીશીટરના ડેટા એડ કરવામાં આવ્યા છે. જેથી કોઈપણ પ્રકારની અનિચ્છનીય ઘટના બને ત્યારે ગુનેગારોની ઓળખમાં મદદ મળી શકે. આ ઉપરાંત પોલીસની ક્રાઈમ બ્રાંચની એક ટુકડી પણ 45 જેટલા ડ્રોન કેમેરા સાથે આ સમગ્ર કાર્યક્રમ પર ધ્યાન રાખશે. પ્રશાસને રથયાત્રાના મુખ્ય પોઈન્ટ્સ પર એન્ટી ડ્રોન સીસ્ટમ પણ તૈયાર રાખી છે.