આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા (Ahmedabad Rath Yatra 2025) નીકળી છે. વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુરના જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી હતી. જે બાદ તેમની આંખેથી પાટા ખોલવામાં આવ્યા હતા અને વિશિષ્ટ ખીચડાનો ભોગ લગાવવામાં આવ્યો હતો.
Ahmedabad, Gujarat: The 148th Rath Yatra is being held in Ahmedabad today. Union Home Minister Amit Shah arrives at the Jagannath Temple to attend the Mangala Aarti. Devotees and saints gathered for Lord Jagannath's darshan, and tight security was deployed at the temple pic.twitter.com/h06SQSjoas
— IANS (@ians_india) June 26, 2025
બાદમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિમાં સોનાના સાવરણાથી ભગવાનનો રસ્તો સાફ કર્યો અને બાદમાં પ્રભુની નગરયાત્રા શરૂ થઈ.
અમદાવાદ જગન્નાથજીની રથયાત્રા
— DD News Gujarati (@DDNewsGujarati) June 27, 2025
મુખ્યમંત્રી @Bhupendrapbjp એ સોનાની સાવરણીથી રથયાત્રાના માર્ગને સાફ કરી પહિંદ વિધિ સંપન્ન કરી, જે બાદ તેઓએ અમદાવાદના જગન્નાથ મંદિરથી રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું#RathYatra2025 #Ahmedabad #JagannathRathYatra2025 pic.twitter.com/Qq98CCTaC2
નોંધનીય છે કે આ રથયાત્રામાં ઑપરેશન સિંદૂર અને બ્રહ્મોસ મિસાઈલ સમેત અનેક થીમના ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન સરસપુરમાં જ્યાં રથ ઊભા રહે તે રસ્તા પર પાણી છાંટી ઠંડા કરવાની પ્રથા છે. આ કાર્ય મોટા ભાગે મહિલાઓ દ્વારા કરવામાં આવે છ. પ્રભુને ઠંડક મળે અને આખું વર્ષ બાળકો નિરોગી રહે તેવી માન્યતા છે.