Tuesday, July 15, 2025
More

    અમદાવાદ પ્લેન ક્રેશના પીડિતોને સહાય આપવાનું શરૂ: ટાટા ગ્રુપે ₹1 કરોડ તો એર ઇન્ડિયાએ ₹25 લાખની કરી હતી જાહેરાત

    અમદાવાદની (Ahmedabad) પ્લેન ક્રેશ દુર્ઘટનામાં ટાટા ગ્રુપ (Tata Group) અને એર ઇન્ડિયાએ (Air India) પીડિત પરિવારોને આર્થિક સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યારે હવે જાહેર કરાયેલ વળતર (Compensation) આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. માહિતી મુજબ અત્યાર સુધીમાં 3 પીડિત પરિવારોને વળતરની સહાય ચૂકવી દેવામાં આવી છે.

    તારીખ 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશની (Plane crash) ગોઝારી દુર્ઘટના બનવા પામી હતી. જેમાં પ્લેનમાં સવાર 242માંથી 241 અને ઘટનાસ્થળના 34 જેટલા મળીને કુલ 275 લોકોના મૃત્યુ થયા હતા. જે પછી ટાટા ગ્રુપે પીડિત પરિવારોને ₹1 કરોડ તથા એર ઈન્ડિયાએ ₹25 લાખની આર્થીક સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યારે જાહેરાત કરાયેલ સહાયની રકમ પીડિત પરિવારોને આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

    પીડિત પરિવારોને ઝડપથી સહાય મળી રહે તે માટે અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતે આવેલી તાજ હોટલના ત્રીજા માળે ફેસિલિટેશન સેન્ટર (સુવિધા કેન્દ્ર) શરૂ કરવામાં આવ્યું છે. પ્લેન ક્રેશમાં મૃત્યુ અને ઈજા પામેલા પીડિતોના પરિજનોને અહિયાં બોલાવવામાં આવી રહ્યા છે. જેથી વળતર આપવાની પ્રક્રિયા ઝડપથી પૂરી થઇ શકે. તાજ હોટેલમાં શરૂ કરાયેલા આ સુવિધા કેન્દ્રમાં પીડત પરિવારે પીડિતની ઓળખ માટે ડેથ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, DNA રિપોર્ટ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ બતાવી ઓળખની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે જે પછી 3-4 દિવસની અંદર પીડિતને તેમના વળતરની રકમ ચૂકવી દેવામાં આવશે.

    આ અંગે એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, “20 જૂનથી વળતર આપવાની શરૂઆત થઇ હતી. જેમાં અત્યાર સુધીમાં ત્રણ પરિવારોને વળતર આપાઈ ચૂક્યું છે. જયારે બાકીના દાવાઓ પર પ્રક્રિયા ચાલી રહી છે.”