ઉત્તર પ્રદેશની યોગી સરકારે (UP Yogi Government) અગ્નિવીરોના (Agniveer) હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશમાં, અગ્નિવીરોને હવે પોલીસ અને પીએસી ભરતીમાં 20% જગ્યાઓ માટે અનામત મળશે. સીએમ યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
माँ भारती की सेवा हेतु संकल्पित हमारे 'अग्निवीर' राष्ट्र की अमूल्य निधि हैं।
— Yogi Adityanath (@myogiadityanath) June 3, 2025
04 वर्ष की सेवा के उपरांत उनके ससम्मान समायोजन के लिए @UPGovt ने पूर्व अग्निवीरों को राज्य की पुलिस भर्ती में 20 प्रतिशत क्षैतिज आरक्षण देने एवं आयु सीमा में 3 वर्ष की छूट प्रदान करने का निर्णय लिया है।…
યોગી સરકાર અગ્નિવીરોને 20% અનામત આપશે તેમજ ભરતીમાં 3 વર્ષની છૂટછાટ પણ આપશે. આ ઉપરાંત, અરજદારે સેનામાં સેવા આપી હોય તેટલા વર્ષોની છૂટ પણ આપવામાં આવશે. યોગી સરકારે મંગળવાર, 3 જૂન 2025ના રોજ આ નિર્ણય લીધો છે.
કેન્દ્ર સરકારે વર્ષ 2022માં અગ્નિપથ યોજના (Agnipath Scheme) શરૂ કરી હતી. આ હેઠળ, સેનામાં ચાર વર્ષની સેવા પછી 25% અગ્નિવીરોને કાયમી કરવાના છે. પ્રથમ બેચ 2026માં બહાર આવવાની છે. આગામી ઉત્તર પ્રદેશ પોલીસ ભરતીમાં તેમને પણ આનો લાભ મળશે.
આ પહેલા અર્ધલશ્કરી દળોએ પણ આ અગ્નિવીરોને અનામત આપવાની જાહેરાત કરી છે.