દેશના અગ્રણી ઉદ્યોગસમૂહ અદાણી જૂથે નાણાકીય વર્ષ 2024-25માં કુલ ₹74,945 કરોડ રૂપિયા ટેક્સ તરીકે સરકારને ચૂકવ્યા છે. આ જાણકારી સ્વયં અદાણી સમૂહ તરફથી ગુરુવારે (5 જૂન) આપવામાં આવી.
નાણાકીય વર્ષ 2025માં અદાણી સમૂહે કુલ ₹74,945 કરોડ સરકારી ખજાનામાં ચૂકવ્યા. વર્ષ 2023-24માં આ ₹58,104 કરોડ હતા. જેમાં બીજા વર્ષે 29%નો ઉછાળો જોવા મળ્યો.
Adani Group contributes Rs 74,945 crore tax in FY25
— ANI (@ANI) June 5, 2025
"For fiscal year 2025, the Adani Group’s total contribution to the exchequer increased by 29 percent to Rs 74,945 crore, from Rs 58,104 crore in FY 2023–24, through its portfolio of listed entities. Of the total contribution of… pic.twitter.com/QI9RomFqAv
પ્રાપ્ત જાણકારી અનુસાર, કુલ ₹74,945 કરોડમાંથી સીધું યોગદાન ₹28,720 કરોડનું છે. બાકીના ₹45,407 કરોડ ઇનડાયરેક્ટ કોન્ટ્રીબ્યુશન અને ₹818 કરોડ અન્ય માર્ગોથી પહોંચાડવામાં આવ્યા.
સમૂહ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે, આ 75 હજાર કરોડ મૂલ્ય એટલું છે કે તેનાથી મુંબઈનું આખું મેટ્રો નેટકવર્ક તૈયાર થઈ શકે તેમ છે. સમૂહે કહ્યું કે તેઓ કર પારદર્શિતામાં માને છે અને આગળ પણ આ જ રીતે યોગદાન આપતા રહેશે.
ઉલ્લેખનીય છે કે એક તરફ કોંગ્રેસ અને અન્ય વિપક્ષો સત્તાલાલસામાં સરકારને ટાર્ગેટ કરવા માટે દેશનાં ઉદ્યોગસમૂહોને કારણ વગર સતત ટાર્ગેટ કરતા રહે છે. પરંતુ આ ઉદ્યોગ જૂથો ન માત્ર રોજગારની તકો પેદા કરે છે, પરંતુ આ રીતે ટેક્સ ચૂકવીને પણ ખજાનો મજબૂત કરે છે.