Monday, March 24, 2025
More

    ‘પંજાબમાં તો ફરી ગયા, પણ દિલ્હીમાં બનાવજો દલિત વિપક્ષ નેતા’: AAP સાંસદ સ્વાતિ માલીવાલે લખ્યો કેજરીવાલને પત્ર

    આમ આદમી પાર્ટીના (AAP) રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે (Swati Maliwal) બુધવારે પાર્ટીના કન્વીનર અરવિંદ (Arvind Kejriwal) કેજરીવાલને બીઆર આંબેડકરને ‘સાચી શ્રદ્ધાંજલિ’ આપવા માટે દિલ્હી વિધાનસભામાં (Delhi Assembly) દલિત વિરોધ પક્ષના નેતાની (Dalit Leader of the Opposition) નિમણૂક કરવા જણાવ્યું હતું.

    માલીવાલે આજે કેજરીવાલને લખેલો પત્ર X પર પોસ્ટ કરીને કહ્યું, “ત્રણ વર્ષ પહેલાં કેજરીવાલે પંજાબમાં વચન આપ્યું હતું કે તેઓ એક દલિતને નાયબ મુખ્યમંત્રી બનાવશે, પરંતુ તે વચન આજ સુધી પૂર્ણ થયું નથી.” તેમણે આગળ લખ્યું, “મને આશા છે કે આ વખતે તેઓ દિલ્હીના એક દલિત ધારાસભ્યને વિપક્ષના નેતા બનાવીને આદરણીય બાબાસાહેબ આંબેડકરજીને સાચી શ્રદ્ધાંજલિ આપશે.”

    અંતે, AAP સાંસદે કહ્યું કે દલિત ધારાસભ્યને વિપક્ષના નેતા તરીકે પસંદ કરવા એ'”આપણા મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું’ હશે અને તે એક રાજકીય પગલું હશે. માલીવાલનો પત્ર એવા સમયે આવ્યો છે જ્યારે 27 વર્ષના અંતરાલ પછી રાજધાનીમાં સત્તામાં આવ્યાના એક અઠવાડિયાથી વધુ સમય પછી ભાજપ આજે દિલ્હીના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.