દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી નેતા અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને (Satyendra Jain) જમીન આપ્યા છે.
#WATCH | Delhi's Rouse Avenue court allows the bail plea of former Delhi Minister Satyendar Jain in the money laundering case.
— ANI (@ANI) October 18, 2024
He was arrested in May 2022 in this case.
(Earlier visuals from court) pic.twitter.com/PaU6u7628v
તેમની ધરપકડ મની લોન્ડરિંગ કેસમાં મે, 2022માં થઈ હતી. ત્યારથી તેઓ જેલમાં બંધ હતા. વચ્ચે સ્વાસ્થ્ય કારણોસર સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા ત્યારે બહાર આવ્યા હતા.
કોર્ટે જૈનને ₹50,000ના બોન્ડ પર તેમજ દેશ ન છોડવાની શરતે જામીન આપ્યા છે. તેઓ 18 મહિના બાદ હવે જેલની બહાર આવશે.
સત્યેન્દ્ર જૈનની ધરપકડ ભ્રષ્ટાચારના આરોપમાં થઈ હતી. 30 મે, 2022ના રોજ ધરપકડ થયા બાદ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ 13 જૂનના રોજ તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા. 26 મે, 2023ના રોજ સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા, ત્યારબાદ મુદત પણ લંબાવાઈ હતી. માર્ચ, 2024માં સુપ્રીમ કોર્ટે તેમના રેગ્યુલર જામીન નામંજૂર કરતાં ફરીથી જેલભેગા કરી દેવામાં આવ્યા હતા.