Monday, March 17, 2025
More

    કેજરીવાલના વધુ એક નજીકના સાથીએ છોડી AAP, કૈલાશ ગેહલોતનું રાજીનામું: દિલ્હી સરકારનું મંત્રીપદ પણ છોડ્યું

    આમ આદમી પાર્ટીના નેતા અને આતિશી સરકારમાં મંત્રી કૈલાશ ગેહલોતે (Kailash Gahlot) પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. 

    તેમણે પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલને એક પત્ર લખીને પોતે પાર્ટી છોડી રહ્યા હોવાનું જણાવ્યું છે. અન્ય એક પત્ર તેમણે મુખ્યમંત્રી આતિશીને મોકલ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ દિલ્હીના મંત્રી પદેથી રાજીનામું ધરી રહ્યા છે. 

    તેમણે કેજરીવાલને લખેલા પત્રમાં આમ આદમી પાર્ટીની કામ કરવાની પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા છે અને પાછલા અમુક વાયદાઓને પણ યાદ કરાવ્યા છે. સાથે ‘શીશમહેલ’ જેવા વિવાદોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમ પણ કહેવામાં આવ્યું કે, દિલ્હી સરકાર જનતાનાં કામો કરવાના સ્થાને કેન્દ્ર સરકાર સાથે બાખડવામાં જ મોટાભાગનો સમય વેડફી નાખે છે. 

    કૈલાશ ગેહલોત દિલ્હી સરકારમાં પરિવહન, પ્રશાસનિક સુધાર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ગૃહ અને મહિલા-બાળવિકાસ મંત્રાલય સંભાળતા હતા અને કેજરીવાલના નજીકના સાથી માનવામાં આવતા હતા.