દિલ્હી (Delhi) વિધાનસભા ચૂંટણી પહેલાં સત્તારૂઢ આમ આદમી પાર્ટીએ (AAP) દાવો કર્યો છે કે, પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલના (Arvind Kejriwal) કાફલા પર પથ્થરો (Stone) ફેંકવામાં આવ્યા છે. AAP અનુસાર, નવી દિલ્હી મતદાન વિસ્તારમાં કેજરીવાલના ‘ડોર ટુ ડોર’ અભિયાન દરમિયાન કાફલા પર પથ્થરોથી હુમલો (Attack) કરવામાં આવ્યો છે. આ ઉપરાંત AAPએ આ હુમલા માટે ભાજપને (BJP) જવાબદાર ઠેરવ્યું છે. બીજી તરફ ભાજપે કહ્યું છે કે, કેજરીવાલની ગાડીએ બે યુવાનોને ટક્કર મારી દીધી છે.
हार के डर से बौखलाई BJP, अपने गुंडों से करवाया अरविंद केजरीवाल जी पर हमला‼️
— AAP (@AamAadmiParty) January 18, 2025
BJP प्रत्याशी प्रवेश वर्मा के गुंडों ने चुनाव प्रचार करते वक्त अरविंद केजरीवाल जी पर ईंट-पत्थर से हमला कर उन्हें चोट पहुंचाने की कोशिश की ताकि वो प्रचार ना कर सकें।
बीजेपी वालों, तुम्हारे इस कायराना… pic.twitter.com/QcanvqX8fB
શનિવારે (18 જાન્યુઆરી) AAPએ પોતાના આધિકારિક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વિડીયો જારી કર્યો છે. જેમાં કેજરીવાલની ગાડી પર પથ્થરો વરસતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં કાફલાની આગળ કાળા ઝંડા લહેરાવતા લોકો પણ જોવા મળે છે. આ ઘટનાને લઈને AAPએ દાવો કર્યો છે કે, આ હુમલો ભાજપે ગુંડાઓ દ્વારા કરાવ્યો છે. AAPએ આરોપ લગાવ્યો છે કે, ભાજપ ઉમેદવાર પ્રવેશ વર્માના ગુંડાઓએ કેજરીવાલ પર ઈંટ-પથ્થરોથી હુમલો કર્યો છે.
सवाल पूछती जनता पर @ArvindKejriwal ने अपनी गाड़ी से 2 युवाओं को मारी टक्कर ।दोनों को लेडी हार्डिंग हॉस्पिटल ले कर गए हैं । हार सामने देखकर लोगों की जान की क़ीमत ही भूल गए ।
— Parvesh Sahib Singh (@p_sahibsingh) January 18, 2025
मैं हॉस्पिटल जा रहा हूँ । pic.twitter.com/IntWoqMCDP
બીજી તરફ ભાજપ નેતા પરવેશ સિંઘે સોશિયલ મીડિયા પોસ્ટ કરીને આરોપ લગાવ્યો છે કે, આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની ગાડીએ બે યુવાનોને ટક્કર મારી દીધી છે. તેમણે વધુમાં કહ્યું છે કે, બંને યુવાનોને લેડી હાર્ડિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. તેમણે કેજરીવાલ પર પ્રહાર કરતા કહ્યું છે કે, “હાર જોઈને લોકોના જીવની કિંમત ભૂલી ગયા છે.” આ સાથે જ તેઓ તેઓ હોસ્પિટલ પહોંચ્યા છે અને ઘાયલ યુવાનોની મુલાકાત પણ કરી છે.