મ્યાનમાર અને બાંગ્લાદેશના શરણાર્થી કૅમ્પમાંથી ભાગી આવેલા રોહિંગ્યાઓને દરિયામાં અકસ્માત નડતાં બે બોટ ડૂબી ગઈ હતી, જેમાં 427નાં મોત થયાં હોવાની આશંકા છે. આ જાણકારી યુએન હાઈકમિશનર ફોર રેફ્યુજીસ તરફથી આપવામાં આવી છે.
UNHCR અનુસાર, એક બોટમાં 267 લોકો હતા, જેમાંથી મોટાભાગના બાંગ્લાદેશના કોક્સ બજાર શરણાર્થી કૅમ્પમાંથી ભાગીને આવ્યા હતા. અમુક મ્યાનમારના કૅમ્પમાંથી આવ્યા હતા. આ બોટ 9 મેના રોજ મ્યાનમારના દરિયાકાંઠા નજીક ડૂબી ગઈ હતી, જેમાંથી માત્ર 66 લોકો જ બચી શક્યા.
427 Rohingya people are reported dead in two tragic shipwrecks in the Indian Ocean —- a reminder of the desperate situation of discriminated Rohingya communities in Myanmar, and of the hardship faced by refugees in Bangladesh as humanitarian aid dwindles. https://t.co/d28u4Cv8Vl
— Filippo Grandi (@FilippoGrandi) May 23, 2025
બીજી એક બોટ કોક્સ બજાર અને મ્યાનમારના કૅમ્પના શરણાર્થીઓને લઈને નીકળી હતી, જે 10 મેના રોજ ડૂબી ગઈ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ બોટમાં કુલ 247 લોકો હતા, જેમાંથી માત્ર 21 જ બચી શક્યા. બાકીના ડૂબી ગયા હતા. જેથી કુલ 514 વ્યક્તિઓમાંથી માત્ર 87 બચ્યા અને બાકીના 427નાં મોત થયાં હોવાની આશંકા છે.
અનુમાન છે કે વિસ્તારમાં આ ચોમાસાના આગમનનો સમય છે. એટલે દરિયામાં તેજ પવન અને વરસાદનો આ બોટ સામનો કરી શકી નહીં હોય. હાલ વધુ વિગતો મેળવવામાં આવી રહી છે.