Sunday, May 18, 2025
More

    રાજકોટ જિલ્લામાંથી ઝડપાયા 4 પાકિસ્તાની ઘૂસણખોરો: વર્ષો પહેલાં ભારત આવ્યા બાદ નહોતા ફર્યા પરત, LCBએ શરૂ કરી પૂછપરછ

    રાજકોટ જિલ્લામાંથી 4 પાકિસ્તાની નાગરિકો ઝડપાયા હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, આ તમામ નાગરિકો વર્ષો પહેલાં પાકિસ્તાનથી રાજકોટ આવ્યા બાદ પરત પાકિસ્તાન ન ફર્યા હોવાનું સામે આવ્યું છે. હાલ લોકલ LCBની ટીમ તેમની પૂછપરછ કરી રહી હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસ બાદ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

    સમાચાર એ પણ સામે આવ્યા છે કે, તમામ પાકિસ્તાની નાગરિકો બે દાયકા કરતા વધારે સમયથી ગેરકાયદે રીતે રાજકોટમાં રહેતા હતા. પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે કે, હાલ ગ્રામ્ય LCBની ટીમ લોધિકા તાલુકામાં રહેતા આ પાકિસ્તાની નાગરિકોની તપાસ કરી રહી છે. એક સગીર સહિત ચાર નાગરિકો ઝડપાયા હોવાનું સામે આવ્યું છે.

    નોંધનીય છે કે, પહલગામ આતંકી હુમલા બાદ મોદી સરકારે તમામ પાકિસ્તાની નાગરિકોને દેશ છોડવાના આદેશ જારી કર્યા હતા. જે બાદ ગુજરાત સરકારે પણ ગેરકાયદે રહેતા નાગરિકોની તપાસ આદરી દીધી હતી. જે હેઠળ કાર્યવાહી કરતાં રાજકોટ પોલીસને ચાર પાકિસ્તાની નાગરિકો મળી આવ્યા હતા.