દિલ્હીના સીએમ રેખા ગુપ્તાએ 1984ના શીખવિરોધી રમખાણોના પીડિતોને નોકરીના નિમણૂક પત્રો સોંપ્યા છે. મંગળવારે (27 મે, 2025) મુખ્યમંત્રીએ કહ્યું કે, આવા 125 પરિવારોને નોકરી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાંથી 19 લોકો 27 મે, 2025થી જ જોડાયા છે.
સીએમ રેખા ગુપ્તાએ 1984ના રમખાણોને પીડાદાયક ગણાવ્યા અને નોકરીઓ મળવામાં થયેલા વિલંબ બદલ માફી પણ માંગી. કોવિડ-19 ને કારણે જીવ ગુમાવનારાઓના પરિવારોને રાહત આપવા વિશે પણ વાત કરી. કટોકટી દરમિયાન જેલમાં રહેલા લોકો અને સ્વતંત્રતા સેનાનીઓને પણ પેન્શન આપવામાં આવશે.
#WATCH | Delhi CM Rekha Gupta and Delhi Minister Manjinder Singh Sirsa today distributed job letters to family members of victims of the 1984 anti-Sikh riots pic.twitter.com/xq9280I05l
— ANI (@ANI) May 27, 2025
કેબિનેટ મંત્રી મનજિંદર સિંઘ સિરસાએ જણાવ્યું હતું કે, 40 વર્ષના સંઘર્ષ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. દિલ્હી ગુરુદ્વારા મેનેજમેન્ટ કમિટી અને હરમીત સિંઘ કાલકાએ આ માટે લાંબી લડાઈ લડી હતી.
આ દરમિયાન હરમીત સિંઘ કાલકાએ મુખ્યમંત્રીને કહ્યું કે, લેફ્ટનન્ટ ગવર્નરે (એલજી) 125 લોકોને નોકરી આપવાનો નિર્દેશ આપ્યો હતો, પરંતુ ઘણા લોકો હવે વૃદ્ધ થઈ ગયા છે, તેથી તેમના બાળકોને નોકરી આપવાનું વિચારો.