Thursday, March 28, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિWHOના પારંપરિક દવાઓના વૈશ્વિક કેન્દ્ર: કોરોનાકાળમાં આયુર્વેદનું મહત્વ આપમેળે સમજાયું હતું

    WHOના પારંપરિક દવાઓના વૈશ્વિક કેન્દ્ર: કોરોનાકાળમાં આયુર્વેદનું મહત્વ આપમેળે સમજાયું હતું

    ગુજરાતના જામનગરમાં આજે WHOના પરંપરાગત ઔષધી કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોરોનાકાળમાં આયુર્વેદ આપણા ઘણા કામમાં આવ્યું હતું તેના વિષે એક વિગતવાર ચર્ચા.

    - Advertisement -

    આયુર્વેદિક સારવાર દ્વારા કોરોનાના કપરાં કાળમાં એવા લાખો લોકોને જીવનરક્ષક સારવાર મળી હતી કે જેમણે દવાખાના સુંધી નહોતાં પહોંચી શક્યા અથવા જેમને દવાખાનામાં ખાટલા કે ઓક્સિજનની વ્યવસ્થા થઇ નહોતી. આજે જ્યારે WHO પણ પરંપરાગત સારવાર પર ભાર આપી રહ્યું હોય ત્યારે ભગવાન ધન્વંતરિ સર્જિત આ આયુર્વેદથી કોરોનાની સારવારમાં થયેલ અસર જરૂર જાણવી જોઈએ.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ સાથે બપોરે 3.30 વાગ્યે જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM)નો શિલાન્યાસ કરશે. ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન સ્થાપવાના આ પગલાને WHOના દક્ષિણ-પૂર્વ એશિયાના પ્રાદેશિક નિર્દેશક ડૉ. પૂનમ ખેત્રપાલ સિંઘે “ગેમ-ચેન્જર” ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, પરંપરાગત દવાઓ હજારો વર્ષોથી ચાલી રહી છે અને WHOના 194 સભ્ય દેશોમાંથી 170 માં લગભગ 80 ટકા લોકો પરંપરાગત દવાઓનો ઉપયોગ કરે છે.

    ડૉ. પૂનમે ANI સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, પરંપરાગત દવાઓનો વ્યાપક ઉપયોગ થતો હોય છે છતાં, તેના ડેટા, ડિલિવરી સિસ્ટમ અને દવાઓના એકીકરણ કરવામાં પ્રમાણભૂત માળખાનો અભાવ છે. આ કેન્દ્રની શરુઆત થતાં જ પરંપરાગત દવાઓના શિક્ષણ, ડેટા, વિશ્લેષણ, ટકાઉપણું અને ટેકનોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરીને આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે છે. આ કેન્દ્રની મદદથી જ પરંપરાગત દવાઓની જાણકારી દુનિયાને એક જ પદ્ધતિથી મળી શકશે.

    - Advertisement -

    કોરોનાકાળ દરમિયાન સફળ નીવડી હતી આયુર્વેદિક સારવાર

    2020-2021 માં જ્યારે કોરોનાનાં કેસ ભારતમાં ટોચ પર હતા અને સર્વત્ર કોરોનાનો કહેર વર્તી રહ્યો હતો ત્યારે ભારતની પ્રજાને આયુર્વેદિક સારવાર પદ્ધતિઓએ રાહતનો શ્વાસ આપ્યો હતો. ભલે એ કોરોનીલ કીટ હોય કે ગિલોય ઘનવટી, સુદર્શન વટી હોય કે દિવ્ય ધારા હોય, કંથામૃત ગોળીઓ હોય કે વરાળથી નાસ લેવાની સારવાર હોય, દરેક ઘરમાં આયુર્વેદિક સારવાર એક રક્ષાકવચ તરીકે ઉભરી આવ્યું હતું.

    લગભગ દરેક દવાખાનાઓમાં કોરોનાની સારવારમાં આયુર્વેદનો સમાવેશ કરવામાં આવ્યો હતો. દર્દીઓને જુદી જુદી આયુર્વેદિક ગોળીઓ સાથે બે થી ત્રણ સમય આયુર્વેદિક ઉકાળા પણ આપવામાં આવતાં હતા. દરેક શહેર-ગામમાં પ્રશાસન દ્વારા તેમ જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ જેવી સેવાભાવી સામાજિક સંસ્થાઓ દ્વારા પણ આયુર્વેદિક દવાઓ, ચૂરણો તથા ઉકાળાઓનું વિતરણ કરવામાં આવતું હતું.

    ગુજરાત સરકારની ધન્વંતરિ રથ સેવા પણ રેડ ઝોન તરીકે નોંધાયેલ સ્થળોએ જઈને સામાન્ય નાગરિકોને આ અતિજરુરી આયુર્વેદિક સારવાર માટેની સામગ્રીઓ વિનામૂલ્યે પહોંચાડતી હતી. સમગ્ર કોરોના કાળ દરમિયાન એવા અનેક કિસ્સા સામે આવ્યા કે જેમાં આયુર્વેદિક સારવાર દ્વારા કેટલાય વ્યક્તિઓ તથા કેટલાય પરિવારો કોરોનાના ભરડામાંથી સકુશળ બહાર આવ્યા હોય.

    વિશ્વની અનેક મોટી સંસ્થાઓની રિસર્ચમાં સાબિત થયું કે કોરોનાની સારવારમાં અન્ય પદ્ધતિઓ કરતા આયુર્વેદિક સારવાર વધુ અસરકારક નીવડી હતી.

    આયુર્વેદિક સારવાર પરંપરાગત દવાઓ કરતાં વધુ શક્તિશાળી છે, એક અભ્યાસમાં જાણવા મળ્યું છે.

    વિશ્વભરના વૈજ્ઞાનિકો અને તબીબી નિષ્ણાતો કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સારવાર મેળવવા માટે દિવસ-રાત કામ કરી રહ્યા હતા, ત્યારે કોરોના દર્દીઓની ક્લિનિકલ ટ્રાયલના એક ગ્રાઉન્ડબ્રેકિંગ વચગાળાના પરિણામએ નવી આશાઓને જન્મ આપ્યો હતો. દર્દીઓ ત્રણ હોસ્પિટલોમાં કોરોના માટે કુદરતી સારવાર લઈ રહ્યા હતા અને એવું જાણવા મળ્યું હતું કે આયુર્વેદિક ઉપચારની સંયુક્ત સારવાર એલોપેથિક સારવારના પરંપરાગત માર્ગની સરખામણીમાં કોરોનાના કેટલાક લક્ષણોને દૂર કરવામાં વધું સક્ષમ હતી.

    ક્લિનિકલ ટ્રાયલ ત્રણ અલગ-અલગ હૉસ્પિટલોમાં હાથ ધરવામાં આવી હતી અને કોરોના દર્દીઓને કોરિવલ લાઇફ સાયન્સ દ્વારા “ઇમ્યુનોફ્રી” તરીકે ઓળખાતી આયુર્વેદિક દવા અને બાયોજેટિકા દ્વારા ‘રેજિનમ્યુન’ કે જે ન્યુટ્રાસ્યુટિકલ છે તેની સંયુક્ત સારવાર આપવામાં આવી હતી. અહેવાલો અનુસાર, આ કુદરતી ઉપાયોના સંયોજનથી સરકાર દ્વારા કોરોના માટે મંજૂર કરવામાં આવેલી પરંપરાગત સારવારની સરખામણીમાં વધુ સારા પરિણામો આવ્યા હતા.

    આયુર્વેદિક ઉપાય ઇમ્યુનોફ્રી અને ન્યુટ્રાસ્યુટિકલ બાયોગેટિકાની મલ્ટિસેન્ટર ક્લિનિકલ ટ્રાયલ ભારતમાં 3 હોસ્પિટલોમાં કરવામાં આવી રહી હતી. જેથી મધ્યમ લક્ષણો ધરાવતા કોરોના પોઝિટિવ દર્દીઓની કુદરતી સારવારની અસરને સમજવામાં આવે. આ હોસ્પિટલોમાં લોકમાન્ય હોસ્પિટલ પુણે, મહારાષ્ટ્ર, સરકારી મેડિકલ હોસ્પિટલ, શ્રીકાકુલમ, આંધ્રપ્રદેશ અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલ, વડોદરા, ગુજરાતનો સમાવેશ થયો હતો.

    આમ ભગવાન ધન્વંતરિ દ્વારા હજારો વર્ષો પહેલાં દર્શાવાયેલ આયુર્વેદિક સારવાર આ કોરોના જેવા એકદમ નવા તથા જીવલેણ રોગોમાં પણ અસરકારક નીવડે એ ભારત માટે પોતાની સંસ્કૃતિ પર ગૌરવ કરવા જેવી બાબત છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં